કયું મીઠું સ્વાસ્થ્ય માટે સારું?//Which Salt is Best for Health?
BY DIETICIAN RIZALA KALYANI ઘણા લોકોમાં મીઠા વિશે ઘણી ગેરસમજ છે. ખાસ કરીને થાઇરોઇડના દર્દીઓમાં “સિંધા મીઠું (Sendha Namak)” સારું છે અને સામાન્ય આયોડાઇઝ્ડ મીઠું ખરાબ છે એવી માન્યતા ઘણી વખત જોવા મળે છે. હકીકતમાં આ એક મોટો મિથ (Myth) છે. 1️⃣ કયું મીઠું સ્વાસ્થ્ય માટે સારું? સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી યોગ્ય મીઠું છે: 👉 આયોડાઇઝ્ડ મીઠું (Iodized Salt) કારણ કે તેમાં આયોડિન હોય છે, જે થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે જરૂરી છે. થાઇરોઇડ ગ્રંથિ T3 અને T4 હોર્મોન બનાવવા માટે આયોડિનનો ઉપયોગ કરે છે. જો આયોડિન ઓછું મળે તો નીચેની સમસ્યાઓ થઈ શકે: હાયપોથાઇરોઇડિઝમ ગોઇટર (ગળામાં થાઇરોઇડનું વધવું) બાળકોમાં બુદ્ધિ વિકાસમાં ઘટાડો આ કારણસર ભારત સહિત ઘણા દેશોમાં આયોડાઇઝ્ડ મીઠું ફરજિયાત બનાવવામાં આવ્યું છે . 2️⃣ સિંધા મીઠું (Sendha Namak) શું ખરેખર સારું છે? ઘણા લોકો માને છે કે સિંધા મીઠું થાઇરોઇડ માટે સારું છે , પરંતુ આ સાચું નથી. હકીકત: સિંધા મીઠામાં આયોડિન નથી અથવા બહુ ઓછું હોય છે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી આયોડિનની ઉણપ થઈ શકે અટલે કે: 👉 થાઇરોઇડના દર્દીઓ માટે સિંધા...